ડીસામાં ચાંદી ગાળવાની ભઠ્ઠીનું ગંદુ પાણી ભરાતાં વેપારીઓ ત્રાહીમામ

- Advertisement -
Share

ચાંદી ગાળવાની ભઠ્ઠીનું ગંદુ પાણી ભરાતાં રોગચાળાની ભીતિ : ગંદા પાણીના નિકાલ માટે સ્થાનિક વેપારીઓની માંગ

 

ચૂંટણીના માહોલ વચ્ચે ડીસા જી.આઇ.ડી.સી.ના વેપારીઓ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ચાંદી ગાળવાની ભઠ્ઠીઓનું ગંદુ પાણી રોડ પર ભરાઇ રહેતાં આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતાં કામદારોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. તાત્કાલીક ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓની માંગ છે.
ડીસામાં ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે જી.આઇ.ડી.સી. બનાવવામાં આવે છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ જેવી પણ વ્યવસ્થા ન હોવાના કારણે જી.આઇ.ડી.સી. નો વિકાસ થતો નથી.
તેવામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદી ગાળવાની ભઠ્ઠીઓનું ગંદુ પાણી રોડ પર ભરાઇ રહે છે. 24 કલાક દુર્ગંધ મારતું ગંદુ પાણી ભરાઇ રહેતાં આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતાં કારીગરોમાં રોગચાળાની ભીતિ ફેલાઇ છે.
ફેક્ટરીના માલિક દ્વારા દુર્ગંધ યુક્ત ગંદા પાણીના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા કરાઇ નથી. જેથી આ પાણી રોડ પર ભરાઇ રહેતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અને લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
ત્યારે સ્થાનિક વેપારીઓની માંગ છે કે, ‘નગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ માટે આયોજન ન કરતાં વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!