વડગામના પીલુચાનો સગીર ગુમ થતાં ચકચાર

- Advertisement -
Share

ગત શનિવારે પિતાને પાણીપુરીની લારી પર સામાન આપી પાછો ન ફરતાં હતપ્રભ

 

વડગામ તાલુકાના પીલુચા ગામનો 17 વર્ષિય સગીર 4 દિવસથી ગુમ થતાં ચકચાર મચી ગઇ હતી. સગીરના પિતાએ દીકરાનું અપહરણ થયું હોવાનું જણાવી બુધવારે છાપી પોલીસ મથકે અપહરણની
ફરિયાદ નોંધાવી હતી. મૂળ ઉત્તરપ્રદેશના અકબરપુરા, તા.કાલમી, જીલ્લો-જાલોરના વતની અને હાલમાં વર્ષોથી વડગામના પીલુચા ગામમાં રહી પાણીપુરીની લારી ચલાવતાં ગીરજાશંકર બાબુલાલ કુશવાહાનો
17 વર્ષિય દીકરો વિવેક ગત શનિવારે સવારે ઘરેથી પાણીપુરીનો સામાન લઇ લારી ઉપર પિતાને આપવા ગયો હતો.

 

જોકે, મોડી સાંજ સુધી વિવેક ઘરે પરત ન ફરતાં આજુબાજુ અને વતન ઉત્તરપ્રદેશમાં ટેલિફોન ઉપર સગાઓને વિવેકની પૂછપરછ કરતાં વિવેકની કોઇ ભાળ ન મળતાં પિતાને દીકરાનું અપહરણ થયાની
આશંકા જતાં ગુમ સગીરના પિતાએ બુધવારે છાપી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!