વાવની કેનાલમાં પાણી છોડતાં જ ધોવાણ થતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

રોષે ભરાયેલા ખેડૂતોની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા માંગણી કરાઇ

 

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે, ખેડૂત પગભર બને તે માટે કરોડોનો ખર્ચ કરી કેનાલો બનાવી તાજેતરમાં ગામડાઓને પૂરતું પાણી ન મળતાં જૂની કેનાલો તોડી નવી બનાવવામાં આવી હતી.
ત્યારે નવી બનાવેલ કારેલી માઇનોર-2 માં બુધવારે પાણી છોડતાં જ ધોવાણ થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરાઇ હતી.
બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલો કાગળ જેવી બનતાં પાણી છોડતાંની સાથે પત્તાના મહેલ જેમ ધોવાણ થઇ રહ્યું છે. વાવમાં તાજેતરમાં બનેલ ભાચાલી માઇનોર કેનાલનું કામ ખરાબ થયું હતું.

 

જ્યારે બીજી કારેલી માઇનોર-2 માં પણ બુધવારે પાણી છોડતાંની સાથે કારેલી-ગામડી સીમમાં ધુડાભાઇ વજીરના ખેતરમાં ધોવાણ થયું હતું.
હાલ શિયાળુ સિઝન શરૂ થઇ ગયેલ હોઇ ખેડૂતો પિયતમાં લેટ પડવાથી ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે. આવા કોન્ટ્રાકટરો વિરુદ્ધ કડક પગલાં ભરી સત્વરે કેનાલનું કામ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!