સુરતથી અંબાજી તરફ આવી રહેલી મીની બસમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ : 15 જેટલાં મુસાફરોનો આબાદ બચાવ

- Advertisement -
Share

ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો : મુસાફરોનો સામાન અને મીની બસ બળીને ખાખ થઇ ગઇ

દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે દૂરદૂરથી માઁ અંબાના દર્શન અને આશિર્વાદ લેવા પોતાના વાહનો લઇ માઁ અંબાના ધામે પહોંચી
રહ્યા છે. ત્યારે સુરતથી અંબાજી તરફ આવી રહેલી એક મીની બસમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, અંબાજીના ચીખલા પાટીયા નજીક આગ લાગવાની ઘટના બની હતી. મીની બસમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
ત્યારે મીની બસમાં સવાર 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મીની બસના ડ્રાઇવરની સૂજબૂજને લઇ મીની બસમાં સવાર 15 જેટલાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

 

ત્યારે મુસાફરોનો સામાન અને મીની બસ બળીને ખાખ થઇ હતી. આ ઘટનાની જાણ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ફાયર-ફાઇટરને કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો
ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મીની બસમાં આગ લાગવાની આ ઘટના અંબાજી નજીક ચીખલા પાટીયા નજીક બની હતી. ત્યારે આગ લાગતાં ત્યાંના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!