બનાસકાંઠામાં ફટાકડા વેચાણ કરવાની છૂટ અપાઇ : દિવાળીના પર્વ નિમિત્તે 41 વેપારીઓને ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપ્યા

- Advertisement -
Share

ફટાકડાના વેચાણને લઇ કોઇ હોનારત ન સર્જાય તે માટે નિયમોના પાલન કરવાની શરતે ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી અપાઇ છે

 

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દિવાળીના તહેવાર નિમિત્તે શુક્રવારે ફટાકડા વેચાણ માટે તંત્ર દ્વારા 41 જેટલાં વેપારીઓને નીતિ-નિયમ મુજબ હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે.
ત્યારે દિવાળીના પૂર્વે ફટાકડાના વેચાણને લઇ કોઇ હોનારત ન સર્જાય તે માટે નિયમોના પાલન કરવાની શરતે ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી અપાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણ માટે તંત્ર દ્વારા શુક્રવારે 41 વેપારીઓને નીતિ-નિયમોના પાલન કરવાની શરતે હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારમાં લોકો ફટાકડાની આતશબાજી કરી તહેવારનો આનંદ માણતાં હોય છે. ત્યારે દિવાળી પર્વે ફટાકડાના વેચાણને લઇ કોઇ હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વેપારીઓને ફાયર સેફ્ટી સહીતના
નીતિ-નિયમોના પાલન કરવાની શરતે ફટાકડાનું વેચાણ કરવા પરવાનગી અપાઇ છે. જેમાં ચાલુ વર્ષે પાલનપુરમાં 34 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 અને વડગામ તાલુકામાં 5 મળીને આ બંને તાલુકામાં 41 વેપારીઓને ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સ ઇશ્યુ કર્યાં છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!