પાલનપુરના ચંડીસરમાં સરકારી જમીનમાં વિચરતી જાતિના લોકોને પ્લોટ ફાળવવાની કામગીરી કરતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

ગ્રામજનોએ ચૂંટણી બહીષ્કારની ચિમકી ઉચ્ચારી : ગૌચરની જમીનમાં અન્ય ગામના લોકોનો પ્લોટ ફાળવી દેતાં ગામના લોકો સાથે અન્યાય થયો હોવાથી તાત્કાલીક સરકારના હુકમને રદ કરવાની માંગ કરી

 

બનાસકાંઠાના પાલનપુરના ચંડીસર ગામમાં સરકાર દ્વારા ગૌચરમાં આવેલી સરકારની જમીનમાં વિચરતી જાતિના લોકોને પ્લોટ ફાળવવાની કામગીરી કરતાં સોમવારે મોટી સંખ્યામાં ગ્રામજનો તેનો વિરોધ દર્શાવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
જ્યાં તેમને કલેક્ટરને આવેદનપત્ર આપી ચિમકી ઉચ્ચારી છે કે, ‘જો સરકાર આ હુકમ રદ નહી કરે તો ઉગ્ર આંદોલન કરશે અને ચૂંટણીનો બહીષ્કાર કરશે.’

પાલનપુરના ચંડીસર ગામના નવીન ગામતળના જમીનમાં વિચરતી જાતિના લોકોને પ્લોટ આપવા માટે નીમ કરવાની કાર્યવાહી મહેસૂલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતાં ચંડીસર ગામના લોકોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે. ચંડીસર ગામના અનેક લોકો પ્લોટ વિહોળા છે.
ત્યારે બીજા ગામના લોકોને પ્લોટ ફાળવવાની કાર્યવાહી હાથ ધરાતાં ગામ લોકો કલેક્ટરના હુકમનો વિરોધ કરવા સૂત્રોચ્ચાર કરતાં પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરની ચેમ્બર આગળ બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, ‘ગામમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ સહીત અનેક વર્ગોના લોકો માટે પ્લોટ માટેની અનેકવાર માંગણીઓ કરી છે.

પરંતુ તેવા લોકોને ગામમાં જમીન ન હોવાના કારણે પ્લોટ મળતાં નથી અને ગામની ગૌચરની જમીનમાં અન્ય ગામના લોકોનો પ્લોટ ફાળવી દેતાં ગામના લોકો સાથે અન્યાય થયો હોવાથી તાત્કાલીક સરકારના
હુકમને રદ કરવાની માંગ કરી હતી અને ગામ લોકોએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર અમારી માંગ નહી સ્વીકારે તો અમે તમામ રાજકીય નેતાઓનો બહીષ્કાર કરી ચૂંટણી બહીષ્કાર કરીશું અને રસ્તા રોકો સહીત ઉગ્ર આંદોલન કરીશું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!