ડીસામાં મોડી રાત્રે આપના પોસ્ટર ફાડી દેવાતા કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ

- Advertisement -
Share

આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ડીસા ખાતે સભા યોજાવાની છે અને 2 દિવસ અગાઉ આ સભાને લઈને આપના કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જાહેર સ્થળો પર આપની જાહેર સભાના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.
પરંતુ ગઈકાલ મોડી રાત્રે આપના પોસ્ટર ફાડી દેવા હતા કાર્યકર્તામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોડી રાત દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડી આગ લગાડી દેવાતા હોવાના આપના કાર્યકર્તાઓએ આક્ષેપ સાથે ઉત્તર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.
આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ડીસામાં જાહેર સભા હોવાથી અને ગત મોડી રાત્રે આપના પોસ્ટર ફાડી દેવા હતા આપના ઉમેદવાર ડો.રમેશભાઈ પટેલ, પ્રેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો અગાઉ પણ ડીસામાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના રોડ શો પહેલા ઝંડીઓ ઉખાડી દેતા ફરિયાદ થઈ હતી.
તેવી જ રીતે આજે અરવિંદ કેજરીવાલની સભા હોવાના કારણે ગત મોડી રાત્રે 2 વાગ્યા સુધી જાગી કેજરીવાલના પોસ્ટર ફાડવા પડે એ ભાજપની નિષ્ફળતાની નિશાની છે તેવું ડીસાના વિધાનસભાના આપના ઉમેદવાર ડો.રમેશભાઈ પટેલે જણાવ્યું હતું તેમ જ વધુમાં તેમને જણાવ્યું હતું કે ભાજપ આવી હરકત કરશે તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!