બંને મકાનમાં અજાણ્યા શખ્સો રૂ. 99,350 ચોરી કરી ફરાર
પાલનપુર નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દરવાજો ખુલ્લો મૂકી બહાર સૂતેલા 2 પરિવારના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
જ્યાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 99,350 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવા શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરના જૂના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં કીર્તિભાઇ હરગોવનભાઇ નાઇ પણ તેમના મકાનના પહેલા માળે ઓસરીમાં સૂતા હતા.
તેમનો દીકરો સાગર ઘરમાં સૂતો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં લટકાવેલા કપડાંના ખીસ્સામાંથી રૂ. 18,000 રોકડ ચોરી કરી નાસી છૂટ્યા હતા.
જયારે પાલનપુરના નવા લક્ષ્મીપુરા આંબેડકર સોસાયટીની પાછળ રહેતાં બેચરભાઇ નાઇ મંગળવારે રાત્રે પરિવારના સભ્યો સાથે દરરોજની જેમ મકાનનો દરવાજો ખુલ્લો મૂકી સૂઇ ગયા હતા.
ત્યારે રાત્રે સાડા 3 કલાકના સુમારે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી ફાયનાન્સની રીકવરીના રૂ. 13,350, બીજી બેગમાંથી રૂ. 8,000 તેમના બેગમાંથી રૂ. 8,000, પુત્રની રૂ. 50,000 ની સોનાની ચેઇન અને રૂ. 2,000 ની ચાંદીની પાયલ મળી રૂ. 81,350 મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
From-Banaskantha update