વીજ કંપનીની બેદરકારીના કારણે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં જીવિત વીજ વાયરો તૂટવાના બનાવો દિવસેને દિવસે બની રહ્યા છે
થરાદ શાકમાર્કેટમાં આવેલ કેબીનો ઉપર ઇલેવન વીજ લાઇનનો જીવિત વીજ વાયર તૂટી જવા પામતાં બજારમાં ધંધા-રોજગાર બંધ હોવાને કારણે મોટી જાનહાની થતાં ટળી હતી.
વીજ કંપનીની બેદરકારીના કારણે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં જીવિત વીજ વાયરો તૂટવાના બનાવો દિવસેને દિવસે બની રહ્યા છે.
ત્યારે બુધવારે મુખ્ય બજારમાં આવેલા શાકમાર્કેટ ઉપરથી પસાર થતી ઇલેવન વીજ લાઇનનો જીવિત વીજ વાયર તૂટી શાકભાજીની દુકાનોના કેબીનો પર પડયો હતો.
આ બનાવને પગલે બુધવારે ગૌ માતાની રૂ. 500 કરોડ ગૌ પોષણ યોજના વિશે સમગ્ર રાજ્યમાં ધંધા-રોજગાર સજ્જડ બંધ પાળી ગુજરાત સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
જેથી બુધવારે શાકમાર્કેટ બંધ હોવાના કારણે લોકો હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતી ટળી હતી. વીજ કંપનીની બેદરકારીના કારણે અગાઉ તાલુકાના થેરવાડા ગામમાં જીવિત વીજ વાયર તૂટી જતાં દૂધ
ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવવા જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જયારે પાંચેક દિવસ પહેલાં રાહ ગામમાં ભેંસનું મોત નિપજ્યું હતું. જેથી વીજ કંપની કર્મચારીઓની બેદરકારીના લીધે જાનહાની સર્જાઇ રહી છે. જેથી વીજ કંપનીને વહેલી તકે સજાગ થવાની જરૂર છે.
From-Banaskantha update