ધાનેરાના લાંચિયા ASIના ઘર પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરાઈ

- Advertisement -
Share

ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા પશુકૃરતા નિવારણના કેસમાં રૂપિયા 75 હજારની લાંચ લેતો એ.એસ.આઈ અને વચેટિયાને બનાસકાંઠા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. જેમના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી દરમિયાન બંનેને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે. ધાનેરા પોલીસ મથકમાં પશુકૃરતા નિવારણ કલમ હેઠળ એક શખ્સ સામે ગૂનો નોંધાયો હતો.

 

આ કેસની તપાસ કરતાં એ.એસ.આઇ રવિકુમાર રમેશભાઈ સોલંકીએ તેની અટક કરી તરત જ જામીન પર મુક્ત કરવા, મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ છોડવા પોઝિટિવ અભિપ્રાય આપવા સારું રૂપિયા 75,000ની લાંચની માંગણી કરી હતી.
આ રકમ સ્વીકારતી વખતે વચેટીયા ધાનેરાના ગનીભાઇ ભીખાજી મુસલાને બનાસકાંઠા એસીબીની ટીમે ધાનેરાના ગોલા ગામેથી ઝડપી લીધો હતો. આ અંગે એસીબી પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું કે, જેમના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી દરમિયાન બંનેને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!