દાંતામાં વરસાદ સાથે કડાકા-ભડાકા વીજળી પડતાં યુવક અને 50 બકરાના મોત

- Advertisement -
Share

માણેકનાથના ડુંગર વિસ્તારમાં 2 ભાઇ બકરાં ચરાવવા ગયા હતા : એક ભાઇ બકરા લઇ ઘરે પહોંચ્યો : બીજો ઘરે ન આવતાં શોધખોળ દરમિયાન મોડી સાંજે ઘટના સામે આવી

 

દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતાં માલધારી યુવક સહીત 50 બકરાના મોત નિપજ્યા હતા. અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જ્યારે 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઇ દેસાઇના જણાવ્યા મુજબ, અડેરણ (ત) ગામના ચમનભાઇ દેવરાજભાઇ રબારી (ઉં.વ.આ. 35) અને તેમનો ભાઇ બકરા ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા.
તે દરમિયાન સાંજના સુમારે એક ભાઇ બકરા લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ બીજો ભાઇ મોડી સાંજ સુધી પરત ન આવતાં પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.

 

જ્યાં વીજળી પડવાથી ચમનભાઇ સહીત તેના 50 બકરાના મોત નિપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું. ઘટનાને લઇ નાનકડા ગામ સહીત સમગ્ર માલધારી સમાજમાં ભારે અરેરાટી અને શોકની કાલીમા પ્રસરી
ગઇ છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હજુ પણ માલધારી લોકો ડુંગર પર અન્ય પશુધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.

 

બનાસકાંઠા જીલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે શનિવાર રાત્રિથી વરસાદ શરૂ થયો છે. જ્યાં રવિવારે સાંજે 6:00 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ પાલનપુરમાં અઢી ઇંચ
વરસાદ ખાબક્યો હતો. જ્યારે કાંકરેજ-વડગામ દોઢ ઇંચ, લાખણી-ડીસામાં એક ઇંચ સહીત અન્ય વિસ્તારોમાં અડધાથી વધુ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

 

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેના પગલે શનિવારે બપોરે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.
જ્યાં અંબાજી, પાલનપુર સહીતના વિસ્તારમાં ભારે ઝાપટાં પડયા હતા. તે દરમિયાન રાત્રે પાલનપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

 

રવિવારે સવારે ઉઘાડ નીકળ્યા પછી બપોર બાદ પુન: આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઇ ગયા હતા. દિવસે પણ અંધકાર છવાયો હતો અને મુશળધાર વરસાદ પડયો હતો.
આ અંગે ડીઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘રવિવારે સાંજે 6:00 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.

 

જ્યારે કાંકરેજ-વડગામ દોઢ ઇંચ, લાખણી-ડીસામાં એક ઇંચ સહીત અન્ય વિસ્તારોમાં અડધાથી વધુ ઇંચ વરસાદ થયો હતો.’ આ અંગે ખેડૂત વિહાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વરસાદ આધારીત ખેતી કરતાં
ખેડૂતોનો ઘાસચારો, બાજરી અને મકાઇનો પાક સૂકાઇ રહ્યો હતો. તેવા અણીનચા સમયે જ વરસાદ આવતાં પાકને જીવતદાન મળ્યું છે.’

 

 

From-Banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!