ડીસામાં લવ જેહાદ બાબતે 2 દિવસ અગાઉ યોજાયેલી રેલીમાં હિન્દુ યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાબતને લઈ લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા હિન્દુ રક્ષક સમિતિએ ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ડીસામાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માન્તરન કરાવાયું હોવાની બાબતને લઈ હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજાઇ હતી. આ રેલીમાં પોલીસ કર્મચારીઓએ હીરા બજાર આગળ લાઠી ચાર્જ કરતા કેટલાક યુવકો ઘવાયા હતા. આ બાબતે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
તેથી હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. જો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો હિન્દુ સમાજ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
From – Banaskantha Update