દાંતાના આંબાઘાટ પર ભેખડો ઘસી આવતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય

- Advertisement -
Share

ભારે વરસાદને લઇ ભેખડો રસ્તા પર ઘસી આવી

 

બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે દાંતા નજીક આવેલ આંબાઘાટમાં ભેખડો ઘસી આવતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. વળાંકમાં જ રોડ પર ભેખડ ઘસી આવતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

 

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં જળબંબાકાર સર્જાયો છે. ત્યારે દાંતાથી અંબાજી તરફના માર્ગ પર આવેલ આંબાઘાટ નજીક વળાંકમાં જ પહાડની ભેખડ ઘસી રોડ પર આવી જતાં
વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ પર ભેખડ ઘસી આવતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે, ‘તંત્ર દ્વારા તાત્કાલીક રોડ પર ઘસી આવેલ ભેખડને દૂર
કરવામાં આવે અને સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે તો આગામી સમયમાં કોઇ મોટી જાનહાની થતી અટકી શકે તેમ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!