દાંતામાં મંત્રીના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

છેલ્લા 2 દાયકામાં આપણા ગુજરાતે તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કર્યો છે

 

બનાસકાંઠા જીલ્લાના દાંતા આદર્શ નિવાસી શાળામાં ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે મંત્રીએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ‘પ્રકૃતિના પૂજક આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પ બધ્ધ છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યા છે એમ કહી મંત્રીએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.’
આ અંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખૂબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ અને આરોગ્યની સુવિધાઓ સહીત પ્રવાસનની સાથે રોજગારીની તકો વધે તે દિશામાં આ સરકારે કામ કર્યું છે.
ભૂતકાળમાં સાંજે જમવાના સમયે વીજળીના ફાંફા હતા. આજે સમગ્ર રાજ્યમાં અંતરીયાળ ગામડાઓ સુધી 24 કલાક વીજળી મળે છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 2 દાયકામાં આપણા ગુજરાતે તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કર્યો છે.

 

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગામડાઓનો સર્વાંગી વિકાસ કરીને આત્મા ગામડાનો પરંતુ સુવિધા શહેરની આપવા આ સરકાર કટીબધ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થયો છે. દેશમાં આદિવાસી સમાજની 15 ટકા વસતી છે.
આઝાદી પછી દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે આદિજાતિ સમાજની શિક્ષિત મહીલા દ્રોપદી મુર્મુ બિરાજમાન થતાં આજે સમગ્ર દેશના આદિવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રપતિના જીવનમાંથી પ્રેરણા મેળવી બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવા મંત્રીએ અપિલ કરી હતી.

 

રાજયભરના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ હોવાથી આદિજાતિ બાળકો સારૂ શિક્ષણ મેળવી રહ્યા છે. પરિણામે આવતીકાલ ઉજ્જવળ અને સુખ-સમૃધ્ધિભરી બનવાની છે. આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રીય અને સંકલ્પબધ્ધ છે.
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ બહુ સારી હોવાથી આદિવાસી દીકરા, દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં છેક છેવાડાના માણસ સુધી સરકારે યોજનાઓના લાભ અને સુવિધા પહોંચાડી છે એમ તેમણે જણાવ્યું હતું.’

 

આ અંગે અગ્રણી માધુભાઇ રાણાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના આદિજાતિ વિસ્તારોના ઝડપી સર્વાંગી અને વિકાસ માટે સરકારે વિરાટ પાયે કામગીરી કરી છે. જેનાથી આદિજાતિઓનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે.
તેમણે દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આજે આદિજાતિ સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને ર્ડાક્ટર બને છે તે સરકારની નીતિઓને આભારી છે.’

 

ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.

 

આ પ્રસંગે કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, તાલુકા પંચાયત પ્રમુખ પાયલબેન મોદી, અગ્રણીઓ લાધુભાઇ પારઘી, હેમરાજભાઇ રાણા, દશરથસિંહ પરમાર, નિલેશભાઇ,
પ્રાયોજના વહીવટદાર એમ.બી. ઠાકોર, આદિજાતિ મદદનીશ કમિશ્નર બી.એચ.ચૌધરી, દાંતા મામલતદાર, આદિજાતિ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!