થરાદમાં પંજાબનો વેપારી લુંટાયો : રિવોલર બતાવી 80 લાખ લૂંટી લીધા

- Advertisement -
Share

સમગ્ર બનાસકાંઠામાં ક્રાઈમની ઘટનામાં દિન પ્રતિદિન વધી રહી છે જેમાં ચોરી લૂંટ અને ધાડની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પંજાબના વેપારીને સસ્તુ સોનુ આપી 80 લાખનું સોનું લેવા થરાદ બોલાવ્યો હતો.

 

જે બાદ રિવોલ્વર બતાવી 80 લાખ રૂપિયા લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે. પંજાબના વેપારી વિશાલ સોનીને પહેલા બે સોનાના બિસ્કીટ સસ્તા આપી 52 હજારનું સોનુ 47 હજારમાં લેવા ભુજના ઉસ્માન, રસુલ અને જીતુ સહિત 6 શખ્સોએ સસ્તું સોનું લેવા થરાદ ખાતે બોલાવ્યો હતો.
જે બાદ પંજાબનો વેપારી વિશાલ સોની બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સસ્તુ સોનું ખરીદવા આવ્યો હતો. જે બાદ પંજાબના વેપારીને પહેલા સસ્તું સોનું આપી છ શખ્સોએ વેપારીને લૂંટી લેવા માટે જાળ બીછાવી હતી અને પંજાબના વેપારી વિશાલ સોનીને રિવોલ્વર બતાવી છ શખ્સોએ 80 લાખ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જે બાદ પંજાબના વેપારી વિશાલ સોનીએ ફરિયાદ નોંધાતા પોલીસે આ લૂંટની ઘટનાને અંજામ આપનારને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે રસુલની અટકાયત કરી અને આરોપીઓની જિલ્લા એલસીબી સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!