બનાસકાંઠાની માનસિક અસ્થિર દુષ્કર્મ પીડીતા સંતાનને જન્મ આપશે : જીલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલ સગીરાની સાર સંભાળ રાખશે

- Advertisement -
Share

હાઇકોર્ટે જીલ્લા કલેક્ટરને સગીરા અને તેની માતાની રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો

 

દેશમાં અને રાજ્યમાં બેટી બચાવો, બેટી પઢાવો ના નારા લગાવીને સરકાર સમાજને દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કેટલાંક એવા લોકો છે જે દીકરીઓ પાર અત્યાચાર કરીને સમાજને કલંકિત કરી રહ્યા છે.

ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં 15 વર્ષની માનસિક અસ્થિર અને બોલી ન શકતી સગીરાને અજાણ્યા નરાધમે દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી બનાવી હતી.

આ ઘટનામાં સગીરાની માતાએ દીકરીનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટની મંજૂરી માંગી હતી. માતાની અરજીને માન્ય રાખીને હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવ્યો છે.

કોર્ટે જીલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલને સગીરાની કાળજી માટે મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યાં છે. હવે 15 વર્ષની પીડીતાના સંતાનને સંસાર જોવા મળશે.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનની રહેવાસી અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા રહે છે. આ મહીલા બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લામાં છૂટક મજૂરી કરીને તેનું જીવન પસાર કરી રહી છે.

આ મહીલાનો પતિ મુત્યુ પામેલ છે અને આ વિધવા મહીલાને એક 15 વર્ષની માનસિક અસ્થિર અને બોલી ન શકતી દીકરી છે. આ મહીલા છૂટક મજૂરી માટે અલગ-અલગ જગ્યાએ કામ માટે જતી હતી.

ત્યારે તેની આ દીકરી 2 વખત ગુમ થઇ ગઇ હતી. થોડા દિવસ બાદ પાછી પણ આવી ગઇ હતી. જો કે, આ સગીરા માનસિક રીતે અસ્થિર અને બોલી ન શકતી હોવાને કારણે તેની સાથે શું થયું હતું તે કોઇને જણાવી શકી ન હતી.
થોડા દિવસો બાદ તેના શરીરમાં ફેરફાર દેખાતાં તેની માતાએ તેની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. આ દરમિયાન તબીબની વાત સાંભળીને તેની માતા ચોંકી ગઇ હતી.
તપાસમાં આ માનસિક અસ્થિર સગીરાને 7 મહીના એટલે કે 30 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં તેની માતા દ્વારા બનાસકાંઠાના ડીસામાં પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
જેમાં સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘તેની દીકરી માનસિક અસ્થિર અને બોલી ન શકતી હોવાને કારણે નરાધમે તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે અને તેના કારણે જ તેની 15 વર્ષની દીકરી ગર્ભવતી બની છે.
આ ઘટના બાદ પોલીસ દ્વારા આ સગીરાને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ બનાસકાંઠાના અગ્રણી વકીલ મનોજ ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પીડીતા માનસિક રીતે અસ્થિર હોવાથી જો બાળકનો જન્મ થાય તો તેની સંભાળ રાખવા માટે સક્ષમ ન હોવાથી તેનો નિકાલ કરવા માટે વકીલ મનોજ ઉપાધ્યાયની મદદથી હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજી દાખલ કરાઇ હતી.
પાલનપુરની બનાસ હોસ્પિટલ દ્વારા 30 સપ્તાહના ગર્ભનો નિકાલ કરવાનું હીતાવહ ન ગણાવતાં ગર્ભાવસ્થા યથાવત રાખવા માટેની સલાહ અપાઇ હતી.
જેને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ માનવીય અભિગમ દાખવીને બનાસકાંઠા જીલ્લા કલેકટર, મેજીસ્ટ્રેટ અને બનાસ હોસ્પિટલને જ્યાં સુધી ડીલીવરી ન થાય ત્યાં સુધી સગીરાની વિશેષ દેખરેખ અને કાળજી રાખવા સંદર્ભે કેટલાંક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યાં છે.
કોર્ટના આદેશ પ્રમાણે હવે જીલ્લા મેજીસ્ટ્રેટ આ સગીરાની તમામ પ્રકારની જવાબદારી સંભાળશે. માતા અને સગર્ભા ઘર વિનાના છે.
જેથી જ્યાં સુધી ડીલીવરી ન થાય ત્યાં સુધી તેમના આરોગ્યની કાળજી રહે તે માટે જીલ્લા કલેકટરને તેમના રહેવાની વ્યવસ્થા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ અંગે અરજદારના વકીલ સુધાંશુ ઝાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટના હુકમ પ્રમાણે પીડીત સગીરા બનાસ મેડીકલ કોલેજના સિનિયર ગાયનેકોલોજીસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
જ્યાં સુધી ડીલીવરી ન થાય ત્યાં સુધી કોઇ સક્ષમ અને જવાબદાર મેડીકલ ઓફીસરને તેમાં આત્મવિશ્વાસ પેદા કરે તેમને તેની જવાબદારી સોંપવામાં આવશે.
સગીરાના ખાનપાન માટે ખાસ ડાયેટીશિયનને જવાબદારી સોંપવામાં આવશે. રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે પીડીતાને મળવાપાત્ર વળતર પણ મળશે. જે માટેની રકમ લીગલ સર્વિસસ એથોરીટી નક્કી કરશે.
આ દરમિયાન પીડીત સગર્ભાના ખાવા-પીવા અને અન્ય જરૂરીયાત માટે બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ રજીસ્ટ્રેટને બનાસ મેડીકલ કોલેજના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવશે. ડીલીવરી થઇ ગયા બાદ બાળક અને પીડીતાને યોગ્ય અનાથ આશ્રમમાં રાખવાની જીલ્લા મેજીસ્ટ્રેટને જવાબદારી સોંપાઇ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!