પાલનપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણના મોત તથા 20 અબોલ પશુધનના મોત

- Advertisement -
Share

પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એસબી પુરા પાટીયા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં 20 ઘેટા-બકરા તેમજ ત્રણ લોકોના મોત થયા છે. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આપેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બે દિવસ અગાઉ પણ કાર અને બેઠકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે આજે વધુ પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાય છે રાજસ્થાનથી ઘેટા બકરા ભરી અમદાવાદ તરફ જતી ટ્રકને અકસ્માત નડ્યો છે.
બે સામ સામે ટ્રક અથડાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ એસબી પુરા પાટીયા પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા આ અકસ્માતમાં ડ્રાઇવર ક્લીનર સહિત ત્રણ લોકોના મોત નીચે હતા.

 

તેમજ 20 જેટલા ઘેટા બકરાના પણ મોત થયા છે આ અકસ્માતના પગલે તાત્કાલિક ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી. પરંતુ બે દિવસ અગાઉ પણ કાર અને બે ટ્રક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા ત્રણના મોત થયા હતા. ત્યારે આજે ફરી ત્રણ દિવસમાં આ બીજો અકસ્માત થવા પામ્યો છે અને જેમાં ત્રણ લોકોના મોત થયા છે આમ ત્રણ દિવસમાં 2 અકસ્માત સર્જાતા 6 લોકોના કુલ મોત નિપજ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!