ઉદયપુરમાં થયેલી હત્યાના વિરોધમાં પાંથાવાડાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

- Advertisement -
Share

ઉદયપુરની ઘટનાના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો

 

ઉદયપુરમાં થયેલી હત્યાના વિરોધમાં ગુરુવારે બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડામાં વેપારીઓએ આતંકી માનસિકતાવાળા હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે વેપારીઓએ પોતાના ધંધા-રોજગારથી દૂર રહી પાંથાવાડા વિસ્તાર સજ્જડ બંધ પાળ્યો હતો.
ઉદયપુરમાં 2 દિવસ અગાઉ થયેલી એક હત્યાના પગલે તેના પ્રત્યાઘાત સમગ્ર ભારતભરમાં જોવા મળી રહ્યા છે.
આ હત્યાની ઘટનાને વખોડી કાઢવા માટે અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે બનાસકાંઠા જીલ્લામાં પણ તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડામાં ગુરુવારે તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગારથી દૂર રહી તમામ વેપાર-ધંધા બંધ રાખી પાંથાવાડા વિસ્તાર સજ્જડ બંધ પાળ્યો હતો.
જયારે પાંથાવાડા વિસ્તારના તમામ વેપારીઓ લોકોને ઉગ્ર માંગ કરી છે કે, ‘ઉદયપુરમાં થયેલી હત્યામાં આતંકી માનસિકતાવાળા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે તમામ વેપારીઓ સહીત લોકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!