દાંતીવાડાના પાંથાવાડામાં શિક્ષકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

પાંથાવાડાના મફતપુરા વિસ્તારમાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

 

દાંતીવાડાના પાંથાવાડામાં આવેલા મફતપુરામાં મંગળવારે એક શિક્ષકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

જયારે તાત્કાલીક પાંથાવાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આ અંગેની વિગત છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

દાંતીવાડાના પાંથાવાડામાં આવેલ મફતપુરા વિસ્તારમાં રહેતાં રમેશભાઇ તરાલ નામના શિક્ષકે ધાનેરા તાલુકાના સોડાલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા.

જયારે મંગળવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જયારે તાત્કાલીક પાંથાવાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
જયારે મૃતકની લાશને પી.એમ. અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પાંથાવાડા પોલીસે શિક્ષકે ક્યા કારણથી આત્મહત્યા કરી છે તેને લઇ અનેક શંકા-કુશંકાઓ સેવાઇ રહી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!