ડીસામાં કોંગ્રેસ ધરણાં યોજે તે પહેલાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઇ

- Advertisement -
Share

અગ્નિપથ ભરતીને લઇને સરકાર સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા બાયો ચડાવી વિરોધ કર્યો

 

ડીસામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર દ્વારા અગ્નિપથ ભરતીની જે જાહેરાત કરી છે. જેના વિરોધમાં સોમવારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા અગ્નિપથ ભરતીને લઇ સરકાર સામે વિરોધ કરી
ધરણાં યોજે તે પહેલાં પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સરકાર દ્વારા સૈન્ય ભરતીમાં અગ્નિપથ ભરતીની જાહેરાત કરી છે. જેને લઇને સમગ્ર ભારતભરમાં વિરોધ થઇ ગયો છે.
આ સરકાર દ્વારા કરેલી અગ્નિપથ ભરતીને લઇ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પણ અગ્નિપથ ભરતીને લઇને સરકાર સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા બાયો ચડાવી વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના નેતા અને કાર્યકરો દ્વારા ડીસાના બગીચા સર્કલ નજીક સોમવારે ધરણાંનો કાર્યક્રમ કરવા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, વિધાનસભા ડીસાના પ્રભારી રીયાઝખાન,પી.પી.
ભરતીયા,નરસિંહભાઇ દેસાઇ, શૈલેષભાઇ વ્યાસ, વિપુલભાઇ ‌શાહ, દીપકભાઇ પટેલ સહીતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ કરતાં અટકાવ્યા હતા. આ તમામ કોંગ્રેસના નેતા અને કાર્યકરોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે કોંગ્રેસના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા અગ્નિપથ ભરતીની જે જાહેરાત કરી છે કે, જેમાં 4 વર્ષ નોકરી કરવાની તે જાહેરાતને લઇને સોમવારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ ભરતીને લઇને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.

આ ભરતીમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ જે જાહેરાત કરવામાં આવી છે તેને તાત્કાલીક ધોરણે દૂર કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે તેમજ દિવસેને દિવસે મોંઘવારી પણ વધી રહી છે.
જેના કારણે ગરીબ‌ લોકો છે તેને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. જેથી સરકાર તાત્કાલીક ધોરણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!