કાંકરેજના અરડુવાડા નજીક ગત મોડીરાત્રે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે શિહોરી રેફરલ ખાતે ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જ્યારે ગત મોડી રાત્રે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત થયું છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કાંકરેજના અરડુવાડા નજીક શિહોરી પાટણ હાઈવે પર ગત મોડીરાત્રે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજયું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમજ રીક્ષા ચાલક અને અન્ય લોકોને ઇજા થતાં સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
From – Banaskantha Update