પોલીસે પી.એમ. કરાવી આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી
ધાનેરા તાલુકાના વાછડાલ ગામમાં સોમવારે રાત્રિના સમયે યુવતીએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડા વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર ગઇ હતી.
પોલીસે આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાછડાલ ગામના નીલાભાઇ મસરાજી સોલંકીની દીકરી શિલ્પાબેન સોમવારે રાત્રિના સમયે ખેતરમાં ઘરના આંગણામાં બહાર સૂતા હતા.
ત્યારે વહેલી પરોઢે નીલાભાઇ અને પત્ની પશુ દહોવા માટે જાગેલા તે દરમિયાન પોતાની દીકરી શિલ્પાને ઉઠાડવા જતાં ખાટલામાં જણાઇ નહીં.
જેની આજુબાજુ તપાસ કરતાં પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડું બાંધેલ હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
પાંથાવાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી યુવતીને લાશને નીચે ઉતારી પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે પાંથાવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update