રીક્ષામાં બેઠેલા 5 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે
ધાનેરા-સાંચોર હાઇવે પર આવેલ વિંછીવાડી ગામ નજીક સોમવારે રાજસ્થાનની ખાનગી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાયા હતા.
જેમાં સોમવારની મોડી રાત્રે વધુ 2 લોકોના મોત થતાં આમ કુલ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે અને 2 લોકો હજુ સારવાર હેઠળ છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાન ખાનગી વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતાં હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે.
ત્યારે સોમવારે ધાનેરા-સાંચોર હાઇવે પર આવેલ વિંછીવાડી ગામ નજીક રાજસ્થાનની ખાનગી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં રીક્ષામાં સવાર 7 લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જેમાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાયા હતા.
આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલીક ધાનેરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
જે બાદ સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થતાં અકસ્માતમાં કુલ રીક્ષામાં બેઠેલા 5 લોકોના મોત થયા છે અને 2 લોકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર હેઠળ છે.
From-Banaskantha update