શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કાંકરેજ તાલુકાના માનપુરા (શિ)માં એક ખેડૂતે ત્રીજા ભાગે વાવેલ એરંડાનો હીસાબ લેવા ગયા હતા. ત્યારે ખેતર માલિકે પાંચમા ભાગે હીસાબ આપવાનું કહી અપશબ્દો બોલી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
માનપુરા (શિ)ના મેરૂભા ઉદેસિંહ વાઘેલાએ ગામના બચુભા મોહબતસિંહ વાઘેલાના ખેતરમાં ત્રીજા ભાગે વાવેલા એરંડાનો પાકનું વેચાણ પણ ખેતર માલિકે કરી દીધું હતું.
ત્યારે ખેડૂત મેરૂભા ઉદેસિંહ વાઘેલા બુધવારે ખેતર માલિક પાસે તેમનો એરંડાનો હીસાબ લેવા ગામમાં આવેલી દુકાન પર ઉભેલા ખેતર માલિકને એરંડાનો હીસાબ આપવા કહેતાં પાંચમા ભાગે હીસાબ મળશે તેમ જણાવ્યું હતું.
ત્યારે મેરૂભાએ કહેલ કે, તમે મને ત્રીજા ભાગે વાવવા આપી હતી તો મને ત્રીજા ભાગનો હીસાબ આપો. ત્યારે ખેતર માલિક બચુભા વાઘેલા અપશબ્દો બોલવા લાગ્યા હતા અને તેમનો પુત્ર દલપતસિંહ વાઘેલા લાકડી અને તલવારથી હુમલો કર્યો હતો.
ત્યારે મેરૂભા વાઘેલાના ભાઇ મનુભા વાઘેલા આવેલ તો તેમને પણ લાકડી અને તલવારની અણી વાગી હતી અને એક મહીલાને પણ લાકડી મારી હતી. આ અંગે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update