બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે નવીન પોલીસ સ્ટેશન તેમજ પાલનપુર હેડકવાર્ટર ખાતે બનાવેલ વાયરલેસ વર્કશોપ અને વાવમાં આઇબીની બિલ્ડિંગનું તેમજ પાટણના સાંતલપુર ખાતે પણ આઇ.બી બિલ્ડિંગનું આગામી 29મી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ઇ-લોકાર્પણ.
બનાસકાંઠા તેમજ પાટણમાં પોલીસ બિલ્ડિંગના આગામી 29 મે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડા જિલ્લામાંથી 484 લાખના ખર્ચે તૈયાર થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે ઇ લોકાર્પણ. ઘણા સમયથી બનાસકાંઠા તેમજ પાટણમાં પોલીસ બિલ્ડીંગ જર્જરિત તેમજ જૂની હોવાના કારણે અત્યારે બનાસકાંઠા તેમજ પાટણમાં પોલીસ બિલ્ડીંગ 484 લાખના ખર્ચે નીવન બનાવેલ બિલ્ડીંગ તૈયાર થઈ જતાં આગામી 29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડા જિલ્લા ખાતે આવી રહ્યા છે.
ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ખેડા જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે બનાવેલ નવીન પોલીસ સ્ટેશન તેમજ પાલનપુર હેડકવાર્ટર ખાતે બનાવેલ વાયરલેસ વર્કશોપ તેમજ વાવમાં આઈ.બીની બિલ્ડીંગ સહિત પાટણના સાતલપુર ખાતે પણ IBની બિલ્ડીંગનું આગામી 29 મેના રોજ આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખેડા જિલ્લામાંથી ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ખેડા જિલ્લામાંથી કરવામાં આવેલા લોકાર્પણ ધાનેરા પોલીસ મથકમાં નિહાળી શકશે.
From – Banaskantha Update