થરાદની જે.જે હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત નીપજતા 304 મુજબ ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

થરાદની જે.જે હોસ્પિટલમાં એક બાળકીને ગળાની સારવાર દરમિયાન જે.જે.હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા. જે બાદ પરિવાર દ્વારા બાળકીના મૃતદેહને જે.જે હોસ્પિટલ બહાર મુકાયો હતો.
જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય તેમજ યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકીના મૃતદેહને હોસ્પિટલ આગળ જ મૂકી રાખવાનો પરિવારે નિર્ણય કર્યો હતો આ ઘટનાને લઇને થરાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોધી હતી.
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ જે.જે.હોસ્પિટલ ફરી વિવાદમાં મૂકાઇ છે. થરાદ ખાતે આવેલ જેથી હોસ્પિટલમાં એક બાળકીને ગળામાં ખીલ થતા સારવાર માટે જે.જે હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જે બાદ બાળકીનું મોત ગળામાં ખીલની સારવાર દરમિયાન ભૂલથી નસ કપાઈ જતા 11 વર્ષીય ભૂમિ રાઠોડનું મોત થતા બાળકીના પરિવારે જે.જે.હોસ્પિટલના ડોકટરની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાનું પરિવારે આક્ષેપ કર્યા હતા.
તેમજ બાળકીના મૃતદેહને પરિવારે જે.જે.હોસ્પિટલની બહાર મુકાતા ભારે હોબાળો સર્જાયો હતો આ ઘટનાને પગલે થરાદ પીઆઇ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકીના પરિવારએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફરિયાદ દાખલ થાય તેમજ યોગ્ય ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહને હોસ્પિટલ આગળ જ મૂકી રાખવાનો પરિવારે નિર્ણય કર્યો હતો. જે બાદ થરાદ પોલીસે તબીબ સામે IPC 304 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!