પાંથાવાડા કુચાવાડા હાઈવે પર કાર સળગી ઉઠતા 4નો આબાદ બચાવ

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા કુચાવાડા સ્ટેટ હાઇવે પર સોમવારે અમદાવાદનો જૈન પરિવાર પોતાની GJ-01-WF-3136 ગાડી લઈને રાજસ્થાનના જીરાવાલા ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો. દરમિયાન સોમવારે સાંજના સમયે કુચાવાડા હાઇવેની રામદેવ હોટલ નજીક અચાનક ગાડીમાં આગ લાગતા પરિવાર ઘભરાઈ ગયો હતો.

સમયસૂચક્તા દાખવી ગાડીમાંથી હેમખેમ બહાર નીકળ્યો હતો. જોકે, આગ વધુ લાગતા ગાડી સળગી ગઈ હતી. ગાડીનો ધુમાડો એટલો ભયંકર હતો કે આજુબાજુના લોકો દોડી આવી પાણી નાખવામાં આવતા છતાં આગ કાબુમાં ના આવતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, પરિવારમાં રોહીતભાઈ, તેમની પત્ની હીરલબેન તેમજ શાનવી અને નિસીહીનો આબાદ બચાવ થયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!