ધાનેરાના ગોલામાં કુવામાંથી 2 મહીલાની લાશ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

ધાનેરાના ગોલા ગામમાં કુવામાંથી શુક્રવારે 2 મહીલાઓના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
કુવામાંથી મહીલાઓના મૃતદેહના સમાચાર મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
ત્યારે ગુરૂવારે વધુ એક બનાસકાંઠા જીલ્લામાંથી એક સાથે 2 મહીલાઓના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
ધાનેરા તાલુકાના ગોલા ગામમાં એક કુવામાંથી 2 મહીલાઓના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
2 મહીલાઓના મૃતદેહ કુવામાંથી મળી આવતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

કુવામાંથી બંને મૃતકની લાશને બહાર કાઢી પી.એમ. અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાઇ હતી. આ બંને મૃતક મહીલા રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે.
જ્યારે મૃતક 2 મહીલાની લાશ કુવામાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ત્યારે પી.એમ. રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે, 2 મહીલાઓએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા થઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!