રાજ્યમાં ત્રિપલ તલાકના કેસમાં પ્રથમ વાર સજા : પાલનપુરની કોર્ટે પત્નીને ટ્રીપલ તલાક આપનાર ક્લાસ વન અધિકારીને એક વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

પાલનપુર સેશન્સ કોર્ટે ટ્રીપલ તલાક કેસમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો : રૂ. 5,000 નો દંડ પણ ફટકાર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં ટ્રીપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે.

એક પુત્રીની માતાને તરછોડી 3 વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને બુધવારે કોર્ટે સજા ફટકારતાં કોર્ટ પરીસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કોર્ટે આરોપીને સજાની સાથે રૂ. 5,000 નો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રીપલ તલાકના કેસમાં સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના જૂની નગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજ ખાન બિહારી સાથે થયા હતા.

 

તેમના લગ્નજીવનથી પીડીતાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝ ખાનને દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જીનિયર તરીકે નોકરી મળી હતી.

 

નોકરી દરમિયાન તેની સાથે ઓફીસમાં કામ કરતી હીન્દુ યુવતી સાથે સરફરાજ ખાનને પ્રેમ થતાં તેને લઇને નાસી ગયો હતો.

 

તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજ ખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝ ખાને યુવતી સાથે સબંધો રાખતાં યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો.
જેથી તેની પત્નીએ વિરોધ કરતાં સરફરાઝ ખાને તેને ગડદા પાટુનો મારમારી 3 વાર તલાક…તલાક…તલાક…બોલી ઘરમાંથી કાઢી મૂકી હતી.

 

પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ટ્રીપલ તલાકના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડીશનલ કોર્ટમાં ચાલી જતાં જજ બી.એસ. દરજીએ તમામ બાબતો અને સરકારી
વકીલની દલીલોને ધ્યાને લેતાં અને કેસની ગંભીરતાં જોતાં આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રીપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઇને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

 

પત્ની : પત્નીની ફરિયાદ માન્ય, ગુજરાન ભથ્થું મળશે
પીડીત પત્ની કે લોહીના સબંધીની ફરિયાદ માન્ય ગણાશે. પત્નીની પહેલથી સમાધાન થઇ શકે, પરંતુ મેજીસ્ટ્રેટની શરતો સાથે જ તે શક્ય બનશે. પતિ તરફથી બાળકોની કસ્ટડી મળશે.

 

પોલીસ : ફરિયાદ પર સીધી અટકાયતનો અધિકાર મળશે
મહીલા કે સબંધીની ફરિયાદ પર પોલીસ સીધી અટકાયત કરી શકશે. આ અટકાયતમાં જમાનત નહીં મળે. જો કે, મેજીસ્ટ્રેટ શરતી જમાનત આપી શકશે.

 

પતિ : પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જ જમાનત મળશે
પોલીસ અને મેજીસ્ટ્રેટ કોર્ટ પતિની વાત સાંભળશે. પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જમાનત મળી શકશે. દોષી સાબિત થયા પછી પતિને 3 વર્ષની સજા અને પત્નીને ગુજરાન ભથ્થું આપવું પડશે.

 

કોર્ટ : મેજીસ્ટ્રેટને ગુજરાન ભથ્થું નક્કી કરવાનો હક્ક
જુબાની, લેખિત કે ઇલેક્ટ્રોનિક (વોટ્‌સએપ, મેઇલ, એસ.એમ.એસ.) માધ્યમ થકી 3 તલાક ગેરકાયદે રહેશે. મેજીસ્ટ્રેટ ભરણ પોષણની રકમ નક્કી કરશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!