થરાદના ઉંટવેલીયાના દંપતીએ બળજબરીપૂર્વક ખેતરમાં કબજો કરતાં લેન્ડ ગેબ્રિંગનો ગુનો નોંધાયો

- Advertisement -
Share

વારસદારે હક્ક ઉઠાવી લીધો છતાં તેમના પુત્રી અને જમાઇએ કોર્ટમાં અપીલ કરી

 

લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેનની વેચાણ લીધેલ જમીનમાં જેટા હાલ રહે. ઉંટવેલીયાના દંપતીએ બળજબરીપૂર્વક કબજો કરી લેતાં તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.
જો કે, વારસદારે હક્ક ઉઠાવી લીધો હતો પરંતુ તેમના પુત્રી અને જમાઇનો જમીનમાં ડોળો હોઇ વેચાણ લેનાર સામે અપીલો કરી હેરાન કરતા હતા.

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના મડાલ ગામના તેજાભાઇ લાલાભાઇ પટેલે 8 વર્ષ પહેલાં થરાદના આસોદર ગામમાં રામજીભાઇ જગમાલભાઇ પટેલની જમીન થરાદના ઉંટવેલીયામાં આવેલી હોઇ જે તેમણે વેચાણ રાખી હતી.
પરંતુ આ જમીન રામજીભાઇએ ઉંટવેલીયા ગામના નરસંગભાઇ શકરાજી ઠાકોર પાસેથી વેચાણ રાખેલ હોઇ અને તે જમીનમાં અગાઉ ચતરાજી જેહાજી ઠાકોર વારસદાર હોઇ તેમણે તે જમીનમાંથી તેમનો હક્ક ઉઠાવી લીધો હતો.

 

આ જમીન વેચાણ લીધા પછી સીઝન પાક લીધા પછી ચતરાજી જેહાજી ઠાકોરની દીકરી હલુબેન દેહળાજી ઠાકોર અને તેના પતિ દેહળાજી સોમાજી ઠાકોર (બંને રહે.જેટા, તા.થરાદ, હાલ રહે. ઉંટવેલીયા) એ
તેજાભાઇના ભાગીયાને તે જમીનમાંથી બહાર કાઢીને કબજો જમાવી લીધો હતો. આથી તેમને જે તે વખતે જમીન ખાલી કરવા કહ્યું હતું. પરંતુ તેઓ ઝઘડા કરતાં અને જમીનનો કબજો ખાલી કરતા ન હતા.

 

ઉલ્ટાનું નાયબ કલેક્ટર કચેરી થરાદમાં તેજાભાઇની નોંધની અપીલમાં જતાં તેઓ કેસ હારી ગયા હતા. આથી હલુબેને સિવિલ કોર્ટ ડીસામાં અપીલ કરી હતી.
જે અપીલ થરાદ સિવિલ કોર્ટમાં આવી હતી તે કેસ પણ તેજાભાઇ જીતી ગયા હતા. છતાં પણ આ બંને પતિ-પત્ની તેમનો કોઇ વાલી વારસ હક્ક ન હોવા છતાં પણ જમીન પર કબજો કરી રાખેલ હતો.

 

આથી તેજાભાઇએ લેન્ડ ગ્રેબ્રિંગ કાયદા હેઠળ જીલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જે અરજી મંજૂર થતાં દંપતી સામે તેજાભાઇની જમીનમાં છાપરૂ બનાવી તેમાં રહેણાંક તરીકે ઉપયોગ કરેલ હોઇ જે બાબતે
પોલીસ ફરિયાદ કરવાનો હુકમ થયો હતો. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પરના કાયદાની જોગવાઇઓ મુજબ દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!