થરાદના સેદલાઇ વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 3 શખ્સો દ્વારા છરા વડે બકરાની હત્યા કરી તેની બલી ચડાવતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે થરાદ પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ નગરના સેદલાઇ વિસ્તારમાં હડકાઇ માતાજીનું મંદિરમાં કાળુભાઇ કમાભાઇ સલાટ, શાન્તીભાઇ હમીરભાઇ સલાટ અને દોલાભાઇ છગનભાઇ સલાટ 3 શખ્સો પૈકી શાન્તીભાઇએ છરા વડે બકરાની ગરદન કાપી નાખી હત્યા કરતાં બાજુમાં જ્યોત્સનાબેન જગતાભાઇ રાવળ જોઇ જતાં માતા શારદાબેનને વાત કરી
તેમના ફોનમાંથી જગદીશભાઇ શ્રીરામભાઇ જોષી (રહે.વામી, તા. થરાદ) અને જીવદયાપ્રેમી રોનકભાઇ ઠક્કરને વાત કરતાં રાત્રિના સુમારે જગદીશભાઇ જોષી અને શિવનગર નરેશભાઇ બ્રાહ્મણ દોડી આવ્યા માતાજીના મંદિરમાં આવ્યા હતા.
થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘાતક હથિયાર વડે (કિં. રૂ. 800 ના) બકરાનો વધ કરવા બદલ 3 શખ્સો સામે આઇ.પી.સી.-કલમ 429 અને પશુઓ પ્રત્યે ઘાતકી પણું અટકાવવાનો અધિનિયમ-11 (1) (I)
અને પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ- P/A/A8 (1) (10) ની જોગવાઇઓ મુજબ 3 શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update