દાંતામાં વિધવા મહિલાએ દીકરીને સાસરિયામાં ના મોકલતા પુત્રએ 17 લોકો સાથે મળી મારમાર્યો

- Advertisement -
Share

દાંતામાં મોટાભીલવાસમાં રહેતા કાંતાબેન પોપટલાલ માજીરાણાએ તેમના ચાર સંતાનો પૈકી દીકરી હસુમતી અને આરતીના લગ્ન ડીસા તાલુકાના વેળાવા ગામે કર્યા હતા. જોકે, સમાજની આંટીના કારણે સાસરીમાં મોકલી ન હતી. આથી તેમનો પુત્ર દિપકે તે બંનેને કેમ ઘરે બેસાડી રાખી છે. તેમ કહી પત્ની જશીબેન સાથે અપશબ્દો બોલ્યા હતા.

 

મહોલ્લાના સુરેખાબેન દિપકભાઇ માજીરાણા, તેજલબેન ભરતભાઇ માજીરાણા, આશાબેન અમીતભાઇ માજીરાણા, ભુપતભાઇ ભીખાભાઇ માજીરાણા, ભરતભાઇ ભીખાભાઇ માજીરાણા, મનીષભાઇ સરદારભાઇ માજીરાણા, લીલાબેન રમેશભાઇ માજીરાણા, શૈલેષભાઇ રમેશભાઇ માજીરાણા, વિપુલભાઇ રમેશભાઇ માજીરાણા, કરશનભાઇ રામજીભાઇ માજીરાણા, આશાબેન અમરતભાઇ માજીરાણા, રમીલાબેન કરશનભાઇ માજીરાણા, દિલીપભાઇ પરથીભાઇ માજીરાણા, ભુપતભાઇ ધનાભાઇ માજીરાણા અને અમરતભાઇ રામજીભાઇ માજીરાણાએ બંને દીકરીઓને છોડાવવા માટે આવેલા મહોલ્લાના કાંતીભાઇ બબાભાઇ માજીરાણા, ભરતભાઇ કાંતિભાઇ માજીરાણા, ઉર્મિલાબેન ભરતભાઇ માજીરાણાને પણ ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે કાંતાબેને 17 સામે ફરિયાદ નોંધાવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!