બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં ભાજપના સાશનને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે એક વર્ષના સાશન દરમિયાન શહેરમાં ભાજપે વિકાસના નામે વિનાશ વેર્યો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યાં હતા.
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપ શાસિત નગરપાલિકા છે. જો કે, નગરપાલિકામાં ભાજપના સાશનને એક વર્ષ પૂર્ણ થયું છતાં પણ શહેરમાં કોઇ પણ જગ્યાએ વિકાસના કામો ન કરતાં કોંગ્રેસના કાર્યકરોએ
સોમવારે નગરપાલિકાએ વિકાસ નહીં પણ શહેરનો વિનાશ કર્યો હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શિત કરી રેલી યોજી દિલ્હી ગેટથી નીકળેલી રેલી પાલનપુર નગરપાલિકા પહોંચી ચીફ ઓફીસરને રજૂઆત કરી હંગામો મચાવ્યો હતો.
આ અંગે કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કર્યાં છે કે, ભાજપ ફક્ત ધર્મના નામે વોટ તો માંગી લે છે પરંતુ વોટ મેળવી જીત હાંસલ કર્યાં બાદ પ્રજાની સુખાકારી માટે કોઇ કાર્યો કર્યાં નથી. ત્યારે ફૂલોની નગરી તરીકે ઓળખાતા પાલનપુરની હાલત નર્કાગાર કરી છે.’
આ અંગે વિપક્ષ નેતા અંકીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘નગરપાલિકા પ્રમુખ ફક્ત એ.સી. ચેમ્બરમાં બેસી મોટી મોટી વાતો કરતાં હોવાના દાવા કર્યાં છે. શહેરમાં ઠેર-ઠેર માર્ગો પર ખાડા પડયા, ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયા અને કોટ
અંદરના વિસ્તારમાં પીવાના પાણીની બૂમરાડો સહીતના મુદ્દાને લઇ નીકળેલી કોંગ્રેસની રેલી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે અને વહેલી તકે નગરપાલિકાનું શાસક પક્ષ જાગે અને ફરી પાલનપુરને ફૂલોની નગરી બનાવે તેવી કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે.’
From-Banaskantha update