ડીસા માર્કેટયાર્ડ દ્વારા આંગણવાડીના કુપોષિત-અતિકુપોષિત 25 બાળકોને દત્તક લેવાયા

- Advertisement -
Share

 

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)-ડીસા દ્વારા આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને ખજૂર-ચણાનું વિતરણ કરી 25 બાળકોને દત્તક લઇ કુપોષિતમાંથી સુપોષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાંથી કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અભિયાન હાથ ધરાયું છે.

 

 

ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના આગેવાન માવજીભાઇ દેસાઇ દ્વારા ડીસાની 50 જેટલી આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને બુધવારે ડીસા તાલુકા પંચાયતના સભાખંડમાં ચેરમેન માવજીભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને અને બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઇ વી. ગેલોત, બનાસકાંઠા હોમગાર્ડઝના જીલ્લા

 

 

કમાન્ડન્ટ આર.એમ.પંડયા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર, ડીસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એન.ટી.માળી, વિપુલભાઇ દવે અને સી.ડી.પી.ઓ. ચેતનાબેન ગઢવીની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓને ખજૂર-ચણાના પેકેટનું વિતરણ કરાયું હતું.

 

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન સૌજન્ય દાતા માવજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘બાળકોને કુપોષણથી સુપોષણ તરફ લઇ જવા માટે અભિયાન હાથ ધરાયું છે. તે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડ દ્વારા ડીસાની આંગણવાડીના 25 જેટલાં અતિકુપોષિત બાળકોને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!