લાખણીની મોરાલ અનુપમ પ્રા.શાળાના શિક્ષકને લેજન્ડ ઓફ ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરાયા

- Advertisement -
Share

તા. 6 માર્ચના રોજ હરિયાણાના કર્નાલ ખાતે એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા લેજન્ડ ઓફ ઇન્ડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ કર્નાલ ખાતે આવેલ એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચોથા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હિન્દી ફિલ્મ એક્ટર પુનિત ઈસ્સર (મહાભારત સીરીયલના દુર્યોધન) અને ફિરોઝ ખાન(મહાભારત સીરીયલના અર્જુન) હાજર રહ્યા હતા. એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એક એવું ફાઉન્ડેશન છે જે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડે છે.

આ એવોર્ડ સમગ્ર ભારતદેશમાંથી 19 જેટલા રાજ્યોના લોકોને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ જોશીને આ બે મહાન હસ્તીઓના હાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ પ્રાપ્ત થતા સુખદેવરામ જોશીએ પોતાની શાળા, ગામ, પરિવાર, સમાજ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ નરેન્દ્ર અરોરાજી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!