ધાનેરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા પ્રથમ હપ્તો રૂ. 30,000 નો લીધા પછી પણ કામ ન શરૂ કરતાં ધાનેરા નગરપાલિકા 34 લાભાર્થીઓને નોટીસ ફટકારી હતી.
સરકારના રૂપિયાનું બારોબારીયું કરનારાઓ સામે કડક પગલાં ભરતાં 7 લાભાર્થીઓએ પ્રથમ હપ્તો નગરપાલિકામાં જમા કરાવ્યો હતો.
ગુજરાત સરકાર ઘર વિહોણા લોકોને પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ પ્રધાનમંત્રી આવાસ યોજના સમગ્ર ગુજરાતમાં લાભાર્થીઓ દ્વારા લાભ લેવાઇ રહ્યો છે.
જ્યારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં પણ વર્ષ-2019 થી 2021 સુધી ધાનેરામાં 567 લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હતો.
લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો રૂ. 30,000 નો લીધો પછી મકાનનું કામ શરૂ ન કરતાં ધાનેરા નગરપાલિકા 34 લાભાર્થીઓને નોટીસ ફટકારી હતી.
સરકારના રૂપિયાનું બારોબારીયું કરનારાઓ સામે નગરપાલિકા દ્વારા કડક પગલાં ભરતાં 34 જેટલાં લાભાર્થીઓને નગરપાલિકાએ નોટીસ ફટકારી હતી અને તાત્કાલીક ધોરણે રૂ. 30,000 નો પ્રથમ હપ્તો પરત કરવાની તાકીદ કરાઇ હતી.
આ કાર્યવાહીને લઇને 7 લાભાર્થીઓએ પ્રથમ હપ્તો નગરપાલિકામાં જમા કરાવ્યો હતો. સરકારના રૂપિયાનું બારોબારીયું કરતાં નગરપાલિકા દ્વારા લાભાર્થીઓના મિલ્કત પર બોજો ચડાવી નાણાં વસૂલ કરવામાં આવશે તેવું નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું.
From-Banaskantha update