દિયોદરમાં આવેલ ઓમકાર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી હતી. આગ લાગતાં આજુબાજુમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ઘરમાં ઘરવખરીનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આવેલ ઓમકાર સોસાયટીમાં શુક્રવારે એક રહેણાંક મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી હતી.
જેમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. રહેણાંક મકાનમાં આગ લાગતાં ઘરમાં પડેલ ઘરવખરીનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
સ્થાનિક લોકો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં પડેલ ઘરવખરીનો માલ-સામાન બળીને ભષ્મીભૂત થઇ ગયો હતો. આગ લાગવાથી મકાન માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
From-Banaskantha update