દિયોદરના સેસણ જૂના ગામમાં એક યુવકે લીમડાના ઝાડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરૂવારે વધુ એક યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.
દિયોદર તાલુકાના સેસણ જૂના ગામમાં રહેતાં પ્રતાપજી ઠાકોર (ઉં.વ.આ. 45) અગમ્ય કારોણસર લીમડાના ઝાડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મૃતક યુવકની લાશને દિયોદર રેફરલમાં પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ ઠાકોર સમાજના યુવકે આત્મહત્યા કરતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
From-Banaskantha update