દિયોદરના રોટીલા પાસે બાઈક ચાલકે રાહદારી 52 વર્ષીય આધેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકની ટક્કરથી આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે દિયોદરના રોટીલા પાસે 52 વર્ષીય આધેડ ખેતર તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે રાહદારી આધેડને અડફેટે લીધા હતા.
જેમાં આધેડ રોડ પર પટકાતા 52 વર્ષીય આધેડનું ઘટન સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પી.એમ અર્થે દિયોદર રેફલર ખસેડાઇ વધુ તપાસ હાથ ધરી હતી.
From – Banaskantha Update