દિયોદરમાં પુર ઝડપે આવી રહેલ બાઈક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે મોત

- Advertisement -
Share

દિયોદરના રોટીલા પાસે બાઈક ચાલકે રાહદારી 52 વર્ષીય આધેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકની ટક્કરથી આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે દિયોદરના રોટીલા પાસે 52 વર્ષીય આધેડ ખેતર તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે રાહદારી આધેડને અડફેટે લીધા હતા.

મૃતકનો ફાઈલ ફોટો

જેમાં આધેડ રોડ પર પટકાતા 52 વર્ષીય આધેડનું ઘટન સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પી.એમ અર્થે દિયોદર રેફલર ખસેડાઇ વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!