કાંકરેજ તાલુકાના વડા ગામમાં માલિકીની જમીન પચાવી પાડનાર 8 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર તાલુકાના ઉમતાના હીરાબેન મણીલાલ પટેલે કાંકરેજ તાલુકાના વડા ગામમાં 0-31-61, 0-31-86 અને 0-34-39 હે. ચો. મી. જમીન વેચાતી રાખી હતી. જે જમીન ફરતે લોખંડના તારની ફેન્સીંગ વાડ કરી મુખ્ય ગેટ બનાવવામાં આવ્યો છે.
જો કે, ગામના રૂપસિંગ ઉર્ફે બચુભા ગમનસિંગ વાઘેલા, વાલીબા રૂપસિંગ વાઘેલા, નટવરસિંગ રૂપસિંગ વાઘેલા, ભાવનાબેન નટવરસિંગ વાઘેલા, ફતુભા રૂપસિંગ વાઘેલા, સમબા ફતુભા વાઘેલા, જેણીબા ફુલસિંગ વાઘેલા અને શારદાબા બનેસિંગ વાઘેલાએ ખેતરમાં બિનઅધિકૃત પ્રવેશ કરી તેમાં કાચા-પાકા મકાનો બનાવી દીધા હતા.
જમીનનો કબ્જો સોંપવાની ના પાડતાં હીરાબેને બનાસકાંઠા મેજીસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ રજૂઆત કરી હતી. જેમાં તપાસના અંતે હુકમ કરતાં હીરાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે 8 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update