બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે પરંપરાગત અશ્વ શોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવતાં અનેક અશ્વ સવારો આ મેળામાં ભાગ લેશે.
હીન્દુ ધર્મમાં મેળાનું એક આગવું મહત્વ રહેલું છે. વર્ષોથી ભારત દેશની સંસ્કૃતિ જાળવી રાખતા આજે પણ અનેક પ્રાચીન મેળાઓ ગ્રામિણ વિસ્તારોમાં જોવા મળે છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે ભૂતેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિ પર્વ નિમિત્તે અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.
આ અશ્વ દોડમાં બનાસકાંઠા જીલ્લા સહીત સમગ્ર ભારતભરમાંથી અનેક અશ્વ સવારો ભાગ લે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે જસરા ગામે યોજાતા અશ્વ દોડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્યારે આ વર્ષે 2 વર્ષ બાદ ફરી એકવાર અશ્વ દોડનું આગામી તા. 25 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 10 વર્ષથી યોજાતાં આ અશ્વ મેળામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહીત અન્ય રાજ્યોમાંથી મોંઘા અશ્વ આ દોડમાં ભાગ લે છે. ત્યારે આ વર્ષે ફરી એકવાર અશ્વ દોડનું આયોજન કરવામાં આવતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
From-Banaskantha update