ડીસાના બનાસ નદી પર 70 વર્ષ જૂનો ઓવરબ્રિજ પર તિરાડો પડવાથી ઓવરબ્રિજનું સમારકામ કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા એક ઓવરબ્રિજ બંધ કરાયો છે અને તેના પરથી વાહનો ડાયવર્ઝન આપી નવા ઓવરબ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે.
પરંતુ અત્યારે બનાસકાંઠા જીલ્લામાં બટાટા કાઢવાની શરૂઆત થઇ ગઇ છે તેને લઇને હાલ ભારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે બીજી તરફ અન્ય નદીમાંથી પસાર થતાં રસ્તા તેના પર પણ ભારે ટ્રાફીકજામ સર્જાયો છે.
બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદી પર 2 ઓવરબ્રિજ બનાવ્યા છે. જેમાંથી એક ઓવરબ્રિજ 70 વર્ષ જૂનો હોવાથી ઓવરબ્રિજ પર તિરાડો પડવાથી ઓવરબ્રિજનું સમારકામ કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા આ ઓવરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.
અને તેના પરથી પસાર થતાં વાહનો અને ડાયવર્ઝન આપી અન્ય બીજા નવા ઓવરબ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારે ટ્રાફીકજામના દૃશ્યો સર્જાઇ રહ્યા છે.
અત્યારે બનાસકાંઠાના ડીસામાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે અને બટાટાની કાઢવાની શરૂઆત પણ થઇ ચૂકી છે.
ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી બટાટા લઇ વેપાર કરવા અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે પોતાના ટ્રેક્ટર મારફતે લઇ જવામાં આવી રહ્યા છે.
જેના કારણે બનાસ નદી પર આવેલા બંને ઓવરબ્રિજમાંથી એક ચાલુ હોવાથી ઓવરબ્રિજ પર ભારે ટ્રાફીકજામ સર્જાયો છે. જ્યારે ડીસા શહેરમાં આવેલ લેખરાજ ચાર રસ્તાથી બનાસ નદીમાંથી પસાર થઇ ઉપર તરફ નીકળતા માર્ગ પર પણ ભારે ટ્રાફીકજામ સર્જાયો છે.
આ ટ્રાફીકજામના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વાહનચાલકોને લાંબી કતારમાં 3-3 4-4 કલાક સુધી ઉભા રહેવું પડી રહ્યું છે.
જેથી વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે, ‘તાત્કાલીક ધોરણે હાઇવે ઓથોરિટી દ્વારા 70 વર્ષ જૂનો બંધ કરવામાં આવેલો ઓવરબ્રિજ તાત્કાલીક ધોરણે તેનું સમારકામ કરી ચાલુ કરવામાં આવે જેથી ટ્રાફીકજામ સર્જાતો અટકી શકે અને વાહનચાલકોને સર્જાતી મુશ્કેલીઓ પણ ટળી શકે છે.’
From-Banaskantha update