બનાસકાંઠામાં ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઇ : કાયમી સહાય નહી આપે તો સંસ્થાઓની ચાવીઓ સરકારને સોંપાશે

- Advertisement -
Share

 

કોરોના મહામારી વચ્ચે અબોલ પશુઓની હાલત પણ કફોડી બની ગઇ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા પાંજરાપોળમાં બનાસકાંઠા અને પાટણના સંચાલકોની શનિવારે વાવ તાલુકાના ટડાવમાં બેઠક યોજાઇ હતી.

 

 

જેમાં બેઠકમાં આગામી સમયમાં સંચાલકો ગુજરાત સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ગૌશાળા પાંજરાપોળની હાલત કફોડી બનતાં સરકાર સહાય ચૂકવે તો જ સંસ્થાઓ ચાલે તેમ છે.

 

 

જ્યારે જો સરકાર બજેટમાં કાયમી સહાય નહી ચૂકવે તો સંસ્થાઓની ચાવીઓ સરકારને સોંપાશે તેવો બનાસકાંઠા અને પાટણના સંચાલકોએ બેઠકમાં નિર્ણય લીધો છે.

 

 

કોરોના મહામારીના કારણે અબોલ પશુઓની હાલત દિવસેને દિવસે દયનીય થઇ રહી છે. જ્યારે પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જઇ રહ્યા છે.

 

 

ત્યારે પશુઓને ઘાસચારાની અછત પણ સર્જાઇ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળામાં પાંજરાપોળમાં પશુઓના નિર્ભર પર સંકટ આવ્યું છે.

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકો કોરોના મહામારી વચ્ચે છેલ્લા 2 વર્ષથી કાયમી સહાય આપવા સરકાર સમક્ષ રજૂઆત કરાઇ છે.

 

પરંતુ હજુ સુધી સરકારે કોઇ જ કાયમી સહાય ચૂકવવાનો વિચાર કર્યો નથી. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા પાંજરાપોળમાં બનાસકાંઠા અને પાટણના સંચાલકોની શનિવારે વાવ તાલુકાના ટડાવમાં સરકાર કાયમી સહાય ચૂકવે તેવી બેઠક યોજાઇ હતી.

 

જેમાં બેઠકમાં આગામી સમયમાં સંચાલકો ગુજરાત સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ગૌશાળા પાંજરાપોળની હાલત કફોડી બનતાં સરકાર સહાય ચૂકવે તો જ સંસ્થાઓ ચાલે તેમ છે.

 

જો સરકાર બજેટમાં કાયમી સહાય નહી ચૂકવે તો સંસ્થાઓની ચાવીઓ સરકારને સોંપાશે તેવો બનાસકાંઠા અને પાટણના સંચાલકોએ બેઠકમાં નિર્ણય લીધો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!