દાંતીવાડામાં સૂકા ઘાસચારામાં 30 ટકા જેટલો ભેળસેળ થતો હોવાની પશુપાલકોએ આક્ષેપ કર્યાં છે. એક બાજુ પાણીની અછત અને બીજી તરફ મોંઘા ભાવે ઘાસચારો મળતાં તેમાં પણ 30 ટકા જેટલો વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવી રહ્યો છે અને પશુપાલકોને છેતરી રહ્યા છે તેવા પશુપાલકોએ આક્ષેપ કર્યાં હતા.
બનાસકાંઠા જીલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો જીલ્લો છે અને બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગે ખેડૂતો પશુપાલન કરી રહ્યા છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં અનેકવાર ઘાસચારાની અછત વર્તાય છે તો બીજી તરફ ચાલુ વર્ષે પાણીની પણ ભારે અસર જોવા મળી રહી છે.
ત્યારે દાંતીવાડામાં સૂકા ઘાસસારામાં ભેળસેળ થતી હોવાની પશુપાલકોમાં બૂમરાડ ઉઠવા પામી છે. અનેક ઘાસચારાની હાટડીઓ ખોલીને બેઠેલા વેપારીઓ પશુપાલકોને છેતરી રહ્યા છે.
જેથી પશુપાલકોએે ઉગ્ર માંગ કરી છે કે, ‘ઘાસચારાની હાટડીઓ પર તપાસ કરવામાં આવે જેથી પશુપાલકો સાથે થતી છેતરપિંડી અટકી શકે તેમ છે.’
From-Banaskantha update