વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ (જો) તખતપુરા કેનાલમાં ગુરૂવારે સવારે 10 ફૂટનું ગાબડું પડતાં કેનાલના પાણી રસ્તામાં ફરી વળ્યા હતા. જેને લઇ પાણીનો વેડફાટ થયો હતો.
તખતપુરા કેનાલમાં ગુરૂવારે સવારે અર્જુનભાઇ અજબાભાઇના ખેતરમાં 10 ફૂટનું ગાબડું પડયું હતું. જેને લઇ કેનાલના પાણી રસ્તામાં ફરી વળ્યા હતા.
આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે ‘ચોથી વખત આ કેનાલમાં ગાબડું પડયું છે. અગાઉ મારા ખેતરમાં પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇ સર્વે કરવામાં આવ્યું હતું પણ વળતર મળ્યું નથી. કેનાલ તૂટવાથી મોટું નુકશાન સહન કરવાનો વારો આવે છે.’
From-Banaskantha update