પાંથાવાડા પોલીસ મથકમાં રિકવરી વાહનોમાં આગ લાગતા ચાર વાહનો બળીને ખાખ

- Advertisement -
Share

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં રિકવરી કરેલ વાહનમાં રવિવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા ધીમે ધીમે આગ બીજા વાહનોને લપેટમાં લીધા હતા. સમગ્ર પોલીસ સ્ટાફ ચિંતિત અને આવી આગ વધુ ન પ્રસરે તે માટે પ્રયત્ન હાથ ધર્યો હતો.

પાંથાવાડા પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત જેસીબી લાવી બીજા રિકવરી કરેલ વાહન આગમાં ન લપેટાય તે માટે દુર કરવા પ્રયત્ન હાથ ધર્યો હતો. સાથે જ પાંથાવાડામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી ખાનગી પાણી ના ટેન્કર લાવી આગ બૂઝાવવાના પ્રયત્ન હાથ ધર્યો હતો. જોકે, આ આગમાં ઇકો અને જીપડાલા સહિત 4 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!