ધાનેરાના નેનાવાથી થાવર સુધીના નેશનલ હાઇવેની હાલત બિસ્માર

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના નેનાવાથી થાવર સુધીના નેશનલ હાઇવે દ્વારા રોડ બનાવવા માટે 82 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારથી હાઈવે બનાવ્યો ત્યારથી જ આ રોડ ઉપર થીંગડા માર્યા છે અને હાલમાં તો તે રોડ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

 

ધાનેરા તાલુકાના નેનાવા ગામથી થાવર ગામ સુધી નેશનલ હાઇવે દ્વારા 82 કરોડના ખર્ચે રોડ બનાવ્યો હતો. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી આ રોડમાં હલકી ગુણવત્તાવાળુ મટરીયલ વાપરેલ હોવાથી રોડ હજુ પુરો થાય તે પહેલા બીજા છેડાથી તૂટવા લાગતા તેને થીંગડાઓ માર્યા હતા.

આખા રોડ ઉપર ખાડે ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાના દિવસે આવ્યા છે. આ ખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ થઇ રહ્યા છે. આ બાબતે નેશનલ હાઇવે વિભાગ ગાંધીધામની કચેરી ખાતે પણ અનેકવાર રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કે રીપેર કરાતો નથી. આ બાબતે નેશનલ હાઇવેના અધિકારી સુરેશ પંચાલને અવાર-નવાર ટેલીફોન કરવા છતાં તેઓએ ક્યારેય ફોન પણ ઉપાડતા નથી અને જવાબ પણ આપતા નથી.’

Advt

રોડ કામમાં 50 ટકા પણ મટરીયલ ન વાપરવાના કારણે આ રોડ માત્ર બે વર્ષમાં તૂટી જવા પામ્યો છે. આ બાબતે કેટલીય વાર રજુઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને આ રસ્તા ઉપર અનેક લોકોએ આ ખાડાઓના કારણે જીવ ગુમાવ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!