દાંતીવાડાના સિકરીયા ગામનો જવાન અરુણાચલ ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતા હતો જેમાં જવાનનું ફરજ દરમિયાન આકસ્મિક નિધન થતા આ શહીદ વીર જવાનના પાર્થિવ દેહને તેના માદરે વતન લવાયો હતો. જ્યાં જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમગ્ર પંથકમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.
દાંતીવાડા શિકરિયા ગામના દેવરાજભાઈ રબારી(આલ)નામનો જવાન CRPFમાં અરુણાચલ ખાતે દેશની સેવા માટે ફરજ બજાવતા હતા. જવાનનું ફરજ દરમિયાન આકસ્મિક નિધન થતા આ શહીદ વીર જવાનના પાર્થિવ દેહને પોતાના માદરે વતન દાંતીવાડા ખાતે લવાયો હતો.
જ્યાં સહિદ વીર જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાર્ડ ઓફ ઓનર આપી પાર્થિવ દેહની અંતિમવિધિ કરાઇ હતી વીર જવાનની અંતિમયાત્રા દાંતીવાડા ખાતે યોજાઇ જેમાં સમગ્ર પંથક દેશભક્તિના માહોલમાં ફેલાયું હતું.
From – Banaskantha Update