બનાસકાંઠા જિલ્લામાં કિન્નર સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય તો રીતી રીવાજ મુજબ દફનવિધિ કરવા માટે કોઈ સ્મશાન ન હોવાના આક્ષેપ સાથે આજે કિન્નર સમાજ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્મશાનની જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આજે કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કિન્નર સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને આ કિન્નર સમાજ માટે જિલ્લામાં એક પણ કિન્નર સમાજનું સ્મશાન ન હોવાથી કોઈનું મૃત્યુ થાય તો તેની દફનવિધિ થઈ ન સકતી હોવાના આક્ષેપ સાથે આજે કિન્નર સમાજ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વહેલી તકે સ્મશાન જગ્યા ફાળવવા માટે આજે કિન્નર સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે પોહચી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.
From – Banaskantha Update