ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અને રાધનપુરમાં હીન્દુ યુવતી પર વિધર્મી યુવકે કરેલા હુમલાના વિરોધમાં બનાસકાંઠા જીલ્લામાં પણ ઠેર-ઠેર હીન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
જેના પગલે બુધવારે ધાનેરા અને દાંતીવાડામાં હીન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરાઇ હતી.
ધંધુકા હત્યા પ્રકરણ અને રાધનપુર હુમલા પ્રકરણ મામલે ગુજરાતમાં હીન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. જેના અંતર્ગત બુધવારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરા અને દાંતીવાડામાં હીન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરાઇ હતી.
આ વિરોધ પ્રદર્શનમાં તમામ વેપારીઓ અને સંગઠનોએ ધંધા-રોજગાર બંધ રાખી આ ઘટનાને વખોડી કાઢી હતી. જ્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે સરકારને રજૂઆત કરાઇ છે. જો કે, કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
From-Banaskantha update